Image : pixabay

આ વર્ષની શરુઆતમાં જ તુર્કેઈમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે 3 કરોડ લોકોએ અનુભવ્યો હતો. 1 મિનિટ સુધી અનુભવાયેલા આ ભૂકંપમાં લગભગ 45 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં તારાજી સર્જાતા દેશને 104 બિલિયન ડોલરનું નુકસાન પણ થયું હતું. 

ભૂકંપને લઈને વિશ્વના લોકો ખૂબ જ સાવધ થઈ ગયા

આ પછી પણ આ વિસ્તારમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જે બાદ વિશ્વના લોકો તેને લઈને ખૂબ જ સાવધ થઈ ગયા છે. તેવી જ રીતે બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને ઉત્તરકાશીમાં પણ ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા હતા. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે, જેના કારણે ભૂકંપનો ખતરો સતત માથે મંડરાતો રહે છે, તો બીજી તરફ ઉનાળાની ઋતુમાં પણ ભૂકંપના વધુ આંચકા અનુભવાય છે, પરંતુ તે કેટલું સાચું છે? ચાલો જણાવીએ 

ભૂકંપ પહેલા હવામાનમાં કેવા ફેરફાર થાય છે?

ભૂકંપ વિશે ઘણી માન્યતાઓ છે. કહેવાય છે કે ભૂકંપ પહેલા હવામાન બદલાય છે. હવામાન શુષ્ક બને છે અને આકાશ વાદળછાયું બને છે. આ દંતકથા ગ્રીક ફિલોસોફર દ્વારા ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભૂકંપ ભૂગર્ભ ગુફાઓમાંથી બહાર આવતા ફસાયેલા પવનોને કારણે થાય છે. તેઓ માનતા હતા કે ભૂકંપ પહેલા પૃથ્વીની અંદર મોટી માત્રામાં ફસાયેલી હવા પૃથ્વીની સપાટી પરનું હવામાન ગરમ અને ઠંડુ બનાવે છે.

ભૂકંપ શા માટે થાય છે?

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આનાથી થતી હિલચાલ થાય છે જે ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?

જો ભૂકંપની તીવ્રતા 0થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી મહેશુસ થાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7થી 7.9 હોય ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.

શું આબોહવા પરિવર્તનની અસર ભૂકંપ પર થાય છે?

એક સંસોધન દર્શાવે છે કે આપણી બદલાતી આબોહવા માત્ર પૃથ્વીની સપાટી પરના જોખમોને જ અસર કરતી નથી, પરંતુ તે આબોહવા પરિવર્તન, અને ખાસ કરીને વધતા વરસાદના દર અને ગ્લેશિયર્સ પીગળવાથી પૃથ્વીની સપાટીની નીચે ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવા જેવા જોખમો પણ વધી શકે છે. વર્ષ 2021ના ક્લાયમેટ ચેન્જ પર આંતર સરકારી પેનલનો છઠ્ઠો આકારણી અહેવાલ દર્શાવે છે કે, વિશ્વના ઘણા પ્રદેશોમાં 1950થી સરેરાશ વરસાદમાં ખરેખર વધારો થયો છે. ગરમ વાતાવરણ વધુ પાણીની વરાળ જાળવી શકે છે, જે વધુ તીવ્ર વરસાદ તરફ દોરી જાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ વરસાદના દર અને ધરતીકંપની પ્રવૃત્તિ પર લાંબા સમયથી સંશોધન કર્યું છે. જે દર્શાવે છે કે હિમાલયમાં ચોમાસા દરમિયાન આખા વર્ષ દરમિયાન ભૂકંપની આવર્તન પ્રભાવિત થાય છે. સંશોધન દર્શાવે છે કે હિમાલયમાં 48 ટકા ભૂકંપ માર્ચ, એપ્રિલ અને મેના શુષ્ક અને ચોમાસા પહેલાના મહિનામાં થાય છે, જ્યારે માત્ર 16 ટકા ચોમાસાની ઋતુ દરમિયાન થાય છે. વરસાદની મોસમ દરમિયાન જમીનનો 4 મીટર હિસ્સો ઉભી અને આડી રીતે દટાઈ જાય છે જ્યારે શિયાળામાં પાણી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે અસરકારક 'રીબાઉન્ડ' ઝોન અસ્થિર બને છે અને ભૂકંપની સંખ્યામાં વધારો થાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bMalG1j