ISRO ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કરવાની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ અવકાશયાન યુએન રાવ સેટેલાઇટ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના છે. તે લેન્ડિંગ સાઇટની નજીકમાં ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક સાધનો વહન કરશે.

ચંદ્રયાન-3 જુલાઈના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે

બેંગલુરુ સ્થિત રાષ્ટ્રીય અવકાશ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું છે કે, જો બધી સ્થિતિઓ યોગ્ય રહી તો ચંદ્રયાન-3 જુલાઈના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે.

તમામ તબક્કાઓનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ 

ઈસરોના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ વર્ષે માર્ચમાં ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સાથે સંબંધિત જરૂરી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને પાવર આપતું CE-20 ક્રાયોજેનિક એન્જિનની ઉડાનનું પરીક્ષણ પણ સફળ રહ્યું હતું. આ પહેલા, લેન્ડરનું મુખ્ય પરીક્ષણ EMI/EMC પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QCHk2FK