
પૃથ્વીથી લઈને અંતરિક્ષ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે, ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સ્પેસક્રાફ્ટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન સીરિઝનો એક ભાગ છે. ISRO આના દ્વારા મોનિટરિંગ અને નેવિગેશનના ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માંગે છે. 2232 કિલોગ્રામનો ઉપગ્રહ (GSLV) શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લૉન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલની મદદથી ઉડાન ભરી હતી.
#WATCH | @isro creates history!
— DD News (@DDNewslive) May 29, 2023
GSLV lifts off 15th flight carrying navigation satellite NVS-01 from second launch pad at SDSC, Sriharikota.#NVS01 is the first of the second-generation satellites envisaged for the Navigation with Indian Constellation (NavIC) services.
NVS… pic.twitter.com/vuF0e3ALBM
અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરનો મહત્વનો ફાળો
આ નેવિગેશન સેટેલાઇટમાં અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા બનાવવામાં રૂબિડિયમ એટોમિક ક્લોકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રૂબિડિયમ એટોમિક ક્લોક સ્વદેશી બનાવટ છે. એવા કેટલાક દેશો છે કે જેમની પાસે આવી પરમાણુ ઘડિયાળો છે. આ ઘડિયાળ શ્રેષ્ઠ અને સચોટ સ્થાન, સ્થિતિ અને સમય જણાવવામાં મદદ કરે છે.
શું છે નાવિક?
તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે Google મેપ કે Apple મેપનો ઉપયોગ તો કરતા જ હશો. તેને ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ (GPS) કહેવાય છે, જે એક મફત સેવા છે. આ અમેરિકી સરકાર દ્વારા ઑર્બિટમાં ઉપગ્રહોની એક સીરીઝ મારફતે પ્રદાન કરવામાં આવે છે. હકીકતમાં, NavIC, GPSને ભારતનો જવાબ છે. NavIC ઈસરો દ્વારા વિકસિત એક પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભ્રમણકક્ષામાં સાત ઉપગ્રહોનો એક સમૂહ છે, જે ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે મળીને કામ કરે છે. આ નેટવર્ક સામાન્ય ઉપયોગકર્તાઓ અને સામરિક ઉપયોગકર્તાઓ એટલે સશસ્ત્ર દળો બંન્ને માટે નૌવહન સેવાઓ પ્રદાન કરે છે.
આખા ભારત અને 1500 કિમી દૂર સુધી નેટવર્ક
સારી સ્થિતિ, નેવિગેશન અને ટાઈમિંગ માટે દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રણાલી વિકસિત કરવામાં આવી છે. તેના નેટવર્કમાં આખા ભારત અને ભારતીય સરહદથી 1500 કિમી સુધીના વિસ્તાર સામેલ છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, સિગ્નલ 20 મીટર કરતાં વધુ સારી રીતે યુઝર પોઝિશનની ચોક્સાઈ અને 50 નેનોસેકન્ડ કરતાં વધુ સારી સમયની ચોકસાઈ પ્રદાન કરવા માટે રચાયેલા છે. સિસ્ટમનો ઉપયોગ ભૂમિગત, હવાઈ અને દરિયાઈ પરિવહન, લોકેશન-આધારિત સેવાઓ, વ્યક્તિગત ગતિશીલતા, સંસાધન દેખરેખ, સર્વેક્ષણ અને ભૂગણિત, વૈજ્ઞાનિક અનુસંધાન, સમય પ્રસાર અને જીવન સલામતી ચેતવણીના પ્રસારમાં કરવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F4KYIo0
0 Comments