![]() |
| Image ISRO |
તા. 17 જુલાઈ 2023, સોમવાર
ચંદ્ર નજર સામે જ દેખાય છે. જો કે ધરતીથી તેનું અંતર 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર ફક્ત ચાર દિવસમાં જ કાપી શકાય છે. પરંતુ કોઈ પણ અંતરીક્ષ યાનને સીધા કોઈ ગ્રહ પર જ કેમ નથી મોકલવામાં આવતું ? શું તેને પૃથ્વીની ચારે તરફ ચક્કર લગાવવા માટે છોડી દેવામાં આવે છે ?
નાસા ચાર દિવસથી એક અઠવાડિયામાં ચંદ્ર પર તેનું વાહન પહોંચી જાય છે. ISRO આવું કેમ નથી કરતું? ISRO ચાર દિવસને બદલે 40-42 દિવસ કેમ લે છે. શું આની પાછળ કોઈ ચોક્કસ કારણ છે? હા તેની પાછળ બે કારણ બે છે... સૌ પ્રથમ, અવકાશયાનને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરીને અવકાશમાં મોકલવાની પ્રક્રિયા સસ્તી પડે છે.

ISROના પ્રોજેક્ટ નાસા કરતા સસ્તા છે, વ્યાજબી છે અને હેતુ પણ પુરો કરે છે
એવું નથી કે ઈસરો પોતાનું વાહન સીધું ચંદ્ર પર મોકલી શકતું નથી. પરંતુ ISROના પ્રોજેક્ટ નાસા કરતા સસ્તા છે. વ્યાજબી પણ હોય છે. હેતુ પણ પૂરો થાય છે. ISRO પાસે નાસા જેવા મોટા અને શક્તિશાળી રોકેટ નથી. જે ચંદ્રયાનને સીધા ચંદ્રની સીધી ભ્રમણકક્ષામાં મૂકી શકે છે. આવા રોકેટ બનાવવા માટે હજારો કરોડ રૂપિયાની જરૂર પડે છે.
વિશ્વના અન્ય દેશો કરતા ઇસરોનું મિશન સસ્તું
2010માં ચીને ચાંગઈ-2 મિશન ચંદ્ર પર મોકલ્યું હતું. તે ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી ગયું હતું. ચાંગઈ-3 પણ આટલા દિવસમાં પહોંચી ગયું હતું. સોવિયત યુનિયનનું પ્રથમ ચંદ્ર મિશન લુના-1 માત્ર 36 કલાકમાં ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. અમેરિકાનું એપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ ત્રણ અવકાશયાત્રીઓ સાથે ચાર દિવસથી થોડા વધુ સમયમાં પહોંચી ગયું હતું.
ઈસરોના રોકેટની લોન્ચિંગની કિંમત માત્ર 150 થી 450 કરોડની વચ્ચે છે
આ અવકાશયાન માટે ચીન, અમેરિકા અને સોવિયત સંઘે મોટા રોકેટનો ઉપયોગ કર્યો હતો. ચીને ચાંગ ઝેંગ 3સી રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ મિશનનો ખર્ચ 1026 કરોડ રૂપિયા હતો. સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટની લોન્ચિંગ કિંમત 550 કરોડથી 1000 કરોડ સુધીની છે. જ્યારે ઈસરોના રોકેટની લોન્ચિંગની કિંમત માત્ર 150 થી 450 કરોડની વચ્ચે છે.
પૃથ્વીની આસપાસ ફરતી વખતે વાહનમાં ઓછું બળતણ વપરાય છે
અવકાશયાનમાં મર્યાદિત માત્રામાં બળતણ હોય છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પડે છે. તેથી જ તેઓ તેને સીધો અન્ય કોઈ ગ્રહ પર મોકલતા નથી. કારણ કે તેમાં તમામ ઈંધણ સમાપ્ત થઈ જવાની શક્યતા છે. ત્યારબાદ તે પોતાનું મિશન પૂરું કરી શકશે નહીં. તેથી જ પૃથ્વીની આસપાસ ફરતી વખતે વાહનને ઓછું બળતણ વાપરીને આગળ મોકલવામાં આવે છે.
રોકેટ પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો ફાયદો ઉઠાવે છે
રોકેટને દૂર અવકાશમાં મોકલવા માટે જરૂરી છે કે તેને પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણનો લાભ મળવો જોઈએ. તે આ રીતે સમજી શકાય છે. જ્યારે તમે ચાલતી બસ અથવા ધીમી ટ્રેનમાંથી ઉતરો છો, ત્યારે તમે તેની ગતિની દિશામાં ઉતરો છો. આમ કરવાથી તમારા પડવાની શક્યતા 50 ટકા ઘટી જાય છે. એ જ રીતે, જો તમે રોકેટને સીધું જ અવકાશ તરફ મોકલો છો, તો પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ તમને ઝડપથી ખેંચશે.
પૃથ્વી તેની ધરી પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે
પૃથ્વીની દિશામાં તેની ગતિ સાથે તાલમેલ બેસાડી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવાથી ગુરુત્વાકર્ષણ ખેંચાણ ઓછું થાય છે. આવી સ્થિતિમાં પૃથ્વી પર રોકેટ કે અવકાશયાન પડવાનું જોખમ ઘટી જાય છે. પૃથ્વી તેની ધરી પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે. રોકેટ કે અવકાશયાનને તેનો લાભ મળે છે. તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને વારંવાર ભ્રમણકક્ષા કરે છે. એટલે કે તેની કક્ષા બદલી નાખે છે.
ચંદ્રયાન-3 એ પૃથ્વીની આસપાસ પાંચ ચક્કર મારવાનું છે
કક્ષા બદલનામાં સમય લાગે છે. એટલા માટે ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં 42 દિવસનો સમય લાગી રહ્યો છે. કારણ કે ચંદ્રયાન-3 એ પૃથ્વીની આસપાસ પાંચ ચક્કર મારવાનું છે. પછી લાંબા અંતરની ચંદ્ર પરિવહન ભ્રમણકક્ષામાં મુસાફરી કરવી પડશે. આ પછી તે ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષાઓ બદલશે. ઈસરોએ અત્યાર સુધીમાં બે વખત ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બદલી છે. પ્રથમ વખત તે 36,500 થી 41,603 હજાર કિલોમીટર સુધી પહોંચાડવામાં આવ્યું હતું એટલે કે એપોજી બદલી હતી. ત્યારબાદ બીજી વખત 173 કિલોમીટરથી 226 કિલોમીટરનું અંતર બદલવામાં આવ્યું તેને પેરીજી કહેવાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/farEvHx

0 Comments