નવી દિલ્હી,23 ઓગસ્ટ,2023,બુધવાર 

રશિયાનું મૂનમિશન લૂના -૨૫ નિષ્ફળ જતા સૌની નજર ભારતના ચંદ્વયાન-૩ પર મંડાયેલી હતી. ઇસરોનું ચંદ્રયાન  આજે સાંજે નિર્ધારિત ૬ વાગ્યાને ૪ મીનિટે ચંદ્રમાંના દક્ષિણ ધુ્વ પર ઉતરાણ કરવામાં સફળ રહયું છે. 

ચંદ્રયાન-૩ માં હવે સૌથી મહત્વની ભૂમિકા પ્રજ્ઞાન ઓવરની રહેવાની છે. પ્રજ્ઞાન રોવરનું વજન ૨૬ કિલો છે જેમાં ૬ પૈડા લગાવેલા છે. વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્યકામ ચંદ્ર પરની સંશોધન માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાની છે.

 પ્રજ્ઞાનનો આકાર રેકટેંગુલર પ્રકારનો છે. રોવર પ્રજ્ઞાન પર સોલર પેનલ લગાવેલા છે. આ બંને નેવિગેશન કેમેરા સહિત સાઇન્ટિફિક પેલોડથી લેસ છે. પ્રજ્ઞાન રોવર જ ચંદ્રમાંની સપાટી પર પાણીની શોધ કરશે. આ ઉપરાંત ચંદ્રમાંની સપાટી પર મળતા રસાયણો પણ શોધશે કારણ કે રોવર કેમિકલ એનાલિસિસ કરવામાં સક્ષમ છે.


પ્રજ્ઞાનમાં આલ્ફા પાર્ટિકલ એકસ કે સ્પેકટ્રોમીટર લગાવેલું છે. આ ઉપરાંત લેજર ઇન્ડયૂસ્ડ બ્રેકડાઉન સ્પકટ્રોમીટર પણ ફીટ કરેલું છે. પ્રજ્ઞાન ચંદ્ર પર એક દિવસ સુધી સંશોધન કરશે. ચંદ્ર પર એક દિવસ પૃથ્વીના ૧૪ દિવસ બરાબર થાય છે.

પ્રજ્ઞાન મેગ્નેશિયમ, એલ્યૂમિનિયમ, સિલિકોન,પોટેશિયમ કેલ્શિયમ, ટાઇટેનિયમ અને આયરન જેવા ખનીજ સંબંધી જાણકારી મેળવશે.રોવરમાં લગાવેલી સોલર પ્લેટો પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ભ્રમણ કરવાની ઉર્જા પુરી પાડશે. પ્રજ્ઞાન ચંન્દ્રમા પર ભારતનું નિશાન છોડશે.

રોવરમાં કુલ 6 પૈડા છે જેના છેલ્લા બે પૈડામાં ઇસરો અને દેશનું રાષ્ટ્રચિહ્ન અંકિત કરવામાં આવ્યું છે. રોવર તેની ગતિ દરમિયાન ચંદ્રની સપાટી પર ભારતની નિશાની છોડશે. તે ચંદ્ર પર એક સેકન્ડમાં એક સેમી જેટલું ચાલે છે. સોલર પાવરની મદદથી ચાર્જ કરવામાં આવશે જેમાં ૫૦ વોટનો પાવર છે. પ્રજ્ઞાન રોવરનું ડાયમેંશન ૦.૯ બાય ૦.૭૫ બાય ૦.૮૫ મીટર છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TmEtkal