
શું કોઈની સુંદરતાને ચંદ્ર કહીને તેની પ્રશંસા કરવી યોગ્ય છે? ચંદ્રયાન-3 દ્વારા મોકલવામાં આવેલી પ્રથમ તસવીરો જોઈને એવું લાગતું નથી. કારણ કે ચંદ્ર પર હજારો ખાડાઓ છે. નવાઈની વાત એ છે કે ચંદ્રનો પોતાનો પ્રકાશ પણ નથી. તે પણ સૂર્ય પાસેથી ઉછીના લીધેલા પ્રકાશથી ચમકે છે. પણ ચંદ્ર આવો કેમ છે? ચંદ્ર પર આટલા બધા ખાડા કેમ છે? તે કઈ રીતે બન્યા ?
અત્યાર સુધીમાં આવા 180 ઇમ્પેક્ટ ક્રેટર મળી આવ્યા
પૃથ્વી અને ચંદ્રની વાર્તા લગભગ એક સાથે શરૂ થાય છે. આ વાત લગભગ 450 કરોડ વર્ષ જૂની છે. ત્યારથી અત્યાર સુધી અવકાશમાંથી આવતા પથ્થરો અને ઉલ્કાઓ આ બંને પર સતત પડતા રહે છે. તેમના પડવાના કારણે ક્રેટર્સ રચાય છે. તેમને ઇમ્પેક્ટ ક્રેટર પણ કહેવામાં આવે છે. પૃથ્વી પર અત્યાર સુધીમાં આવા 180 ઇમ્પેક્ટ ક્રેટર મળી આવ્યા છે.
લગભગ 14 લાખ ખાડાઓ
ચંદ્ર પર લગભગ 14 લાખ ખાડાઓ છે. 9137 થી વધુ ક્રેટર્સની ઓળખ કરવામાં આવી છે. 1675ની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજારો ખાડાઓ છે. જેને માનવીઓ જોઈ પણ શક્યા નથી. કારણ કે તેના અંધારા હિસ્સા તરફ જોવું મુશ્કેલ છે. એવું નથી કે ચંદ્રની સપાટી પરના ખાડાઓ માત્ર ઈમ્પેક્ટ ક્રેટર છે. કેટલાક લાખો વર્ષ અગાઉ જ્વાળામુખી ફાટવાને કારણે પણ બન્યા છે.
40 કિલોના પથ્થરથી 290 કિમીનો મોટો ખાડો સર્જાયો
નાસાએ 17 માર્ચ 2013ના રોજ ચંદ્ર પર સૌથી મોટો ખાડો જોયો હતો. જ્યારે 40 કિલોનો પથ્થર 90 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્રની સપાટી સાથે અથડાયો હતો. આ અથડામણથી સર્જાયેલો ખાડો વિશાળ છે. તમે તેને જમીન પરથી પણ જોઈ શકો છો. જો તમે ટેલિસ્કોપ દ્વારા જુઓ, તો તમને ખૂબ જ અદભૂત દૃશ્ય જોવા મળશે.
ચંદ્ર પર વાતાવરણનો અભાવ
ચંદ્ર પર પાણી કે વાતાવરણ નથી. પૃથ્વી જેવી ટેક્ટોનિક પ્લેટ પણ નથી. તેથી જ ત્યાં માટીનું ધોવાણ થતું નથી. જ્યારે પૃથ્વી પર આવા ખાડાઓ પર માટી જામી જાય છે. પાણી ભરાય છે. વૃક્ષો અને છોડ ઉગે છે. જેના કારણે ખાડા ભરાતા હોય છે.
મોટાભાગના ખાડાઓની ઉંમર 200 કરોડ વર્ષ
ચંદ્ર પર બનેલા મોટાભાગના ખાડાઓની ઉંમર 200 કરોડ વર્ષ છે. એટલે કે જ્યારે ચંદ્રની રચના થઈ ત્યારે તેના પર આટલા ખાડા નહોતા. તેના નિર્માણના લગભગ 250 વર્ષ પછી, ખાડાઓ બનવાનું શરૂ થયું. ચંદ્ર પરનો સૌથી મોટો ખાડો દક્ષિણ ધ્રુવની નજીક છે. તેને પાર કરવા માટે તમારે તેની અંદર લગભગ 290 કિલોમીટર ચાલવું પડશે. ચંદ્ર પર હાજર 13 લાખ ખાડાઓનો વ્યાસ 1 કિલોમીટર છે. 83 હજાર ખાડાઓનો વ્યાસ 5 કિલોમીટર છે. અહીં 6972 ખાડાઓ છે જેનો વ્યાસ 20 કિલોમીટરથી વધુ છે.
આ સમયે ચંદ્રયાન-3 ક્યાં છે?
ચંદ્રયાન-3 હાલમાં170 કિમી x 4313 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરે છે. ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3ને લઈને નિર્ધારિત તારીખોથી આગળ વધી રહ્યા છે. હાલ તે જે કક્ષામાં છે તેણે ત્યાં 9 ઓગસ્ટ 2023ના રોજ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલેથી જ આ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્છેયું . હવે જોવાનું એ રહેશે કે ઈસરોના વૈજ્ઞાનિકો તેને હવે કેટલા અંતરવાળી ઓર્બીટમાં મુકે છે.
ચંદ્રયાનનું લેન્ડિંગ 23મીએ સાંજે 5.47 કલાકે
9 ઓગસ્ટ બાદ તેની ભ્રમણકક્ષા 14મીએ બપોરે 12.04 કલાકે બદલાશે. ત્યારબાદ 16મી ઓગસ્ટે પણ આ જ કામગીરી કરવામાં આવશે. દર વખતે તેનું અંતર ઘટતું જશે. 17 ઓગસ્ટના રોજ, પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. ડીઓર્બીટીંગ 18 અને 20 ઓગસ્ટના રોજ થશે. એટલે કે ચંદ્રની ભ્રમણકક્ષાનું અંતર ઘટશે. લેન્ડર મોડ્યુલ 100 x 35 કિમીની ભ્રમણકક્ષામાં જશે. આ પછી ચંદ્રયાનનું લેન્ડિંગ 23મીએ સાંજે 5.47 કલાકે કરવામાં આવશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1taTXWl
0 Comments